રાજકોટ,
રાજકોટ શહેર તા.૬.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ધારાસભ્ય બાબુભાઈ, તેમજ પુંજાભાઈ અને પ્રતાપભાઈ દૂધાતએ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તે અંગે મીડિયા સામે નિવેદન આપ્યું હતું. ત્યારે રાજકોટ રિસોર્ટ પહોંચેલા બાબુભાઈ વાજાનું મોટું નિવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, B.J.P દ્વારા રણનીતિ બદલીને ખાલી પડેલી જગ્યા ભરવા માટે તેમજ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે તેઓ કોંગ્રેસના ઉમેદવારોને રાજીનામું આપવા માટે અનેક ઓફરો તેમજ મોટા હોદા આપવામાં આવશે તેવું કહીને પોતાની ખાલી સીટ ભરી રહ્યા છે. વધુમાં કહ્યું હતું કે અટવાયેલા ફાઇલ કલીયર કરાવી દેવાની તેમજ કોઈને નોકરી વ્યવસાય ચડાવા હોય તો તે પણ કરી આપશું. અને વ્યક્તિગત ૧૫ કરોડની ઓફર આપવામાં આવી રહી છે. કોંગ્રેસના પુંજાભાઈએ સ્પસ્ટ કર્યું કે, તેમને પણ રાજીનામું આપવા માટે ઓફર આપવામાં આવી હતી. અને ૧૫ કરોડની ઓફર કરાઈ .
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ